છંદ સમજૂતી અને ઉદાહરણ
Std 10 Gujarati Vyakaran Chand Samjuti Ane Udaharan
સમજૂતીઃ
અક્ષરમેળ (ગણમેળ) અને માત્રામેળ અક્ષરોની ચોક્કસ સંખ્યા કે માપમાં ગોઠવાયેલી. લયબદ્ધ રચનાને “છંદ કે વૃત્ત’ કહે છે. છંદોબદ્ધ કવિતાની એક પંક્તિને “પાદ’, “ચરણ કે કડી’ કહે છે. બે-ચાર ચરણના જૂથને કૂકકહે છે. કવિ પોતાની જરૂરિયાત પ્રમાણે ટૂક રચવાની સ્વતંત્રતા ધરાવે છે.
ચરણનાં લઘુ-ગુરુ અક્ષરોનાં સ્થાન અને સંખ્યાને આધારે તેમજ લઘુની એક અને ગુરુની બે માત્રા-સંખ્યાને આધારે છંદોના બે પ્રકાર પડે છેઃ
1. અક્ષરમેળ અને
2. માત્રામેળ.
1. અક્ષરમેળઃ
અક્ષરમેળ છંદને “વૃત્ત’ કે ‘ગણમેળ’ પણ કહે છે.
અક્ષરમેળમાં અક્ષરોની સંખ્યા અને ચરણનાં લઘુ-ગુરુનાં સ્થાન નિશ્ચિત હોય છે.
અક્ષરમેળમાં લય-આવર્તનો માટે અક્ષર-સંધિઓ યોજાતાં નથી.
2. માત્રામેળઃ
માત્રામેળ છંદને જાતિ’ પણ કહે છે.
માત્રામેળમાં માત્રાઓની સંખ્યા અને તાલની વ્યવસ્થા દ્વારા છંદ ઓળખાય છે.
માત્રામેળમાં લય-આવર્તનો માટે માત્ર-સંધિઓ યોજાય છે.
[નોંધ: મનહર છંદ, લઘુ-ગુરુના બંધારણ વિના કેવળ અક્ષરોની સંખ્યા ઉપર આધાર રાખે છે. માત્ર અક્ષરસંખ્યા કે અમુક અક્ષરે આવતો ‘તાલ જ છંદનું સ્વરૂપ સર્જે છે, આવા છંદને “સંખ્યામેળ’ કહે છે.)
બંધારણ છંદનું બંધારણ સમજવા કેટલીક પરિભાષાઓ સમજવી જરૂરી છે.
સ્વરઃ અ, આ, ઇ, ઈ, , ઊ, સ, એ, એ, ઓ અને ઓ. હૃસ્વ સ્વરો અ, ઇ, ઉ અને ઝ.
દિીર્ઘ સ્વરઃ આ, ઈ, ઊ, એ, ઐ, ઓ અને ઓ.
હૃસ્વ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષર લઘુ ગણાય છે. અક્ષરમેળ છંદમાં, લઘુ અક્ષરની સંજ્ઞા ‘∪’ છે, જ્યારે માત્રામેળ છંદમાં, લઘુ અક્ષરની સંજ્ઞા “1′ છે. લઘુ અક્ષર દર્શાવવા આ સંજ્ઞા અક્ષરની ઉપર મુકાય છે.
દા. ત.
દીર્ઘ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષર ગુરુ’ ગણાય છે. અક્ષરમેળ છંદમાં, ગુરુ અક્ષરની સંજ્ઞા ‘–’ છે, જ્યારે માત્રામેળ છંદમાં, ગુરુ અક્ષરની સંજ્ઞા છે. ગુરુ અક્ષર દર્શાવવા આ સંજ્ઞા અક્ષરની ઉપર મુકાય છે.
દા. ત.,
લઘુ અક્ષર જ્યારે ગુરુ થાય?
(1) ‘સ્તુતિ અને સ્તુત્ય” એ બે શબ્દો ઉપર લઘુ-ગુરુ મૂકી જુઓ.
સ્તુતિ” શબ્દમાં ‘સ્તુ’ (સ્ +ત્+ ઉ) અને તિ’ (ત્ + ઈ) હુ છે, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં શબ્દ આ રીતે લખાશે:
“સ્તુતિ સ્તુત્ય’ શબ્દમાં પણ “સ્તુ (સ્ +ત્ + ઉ) અને ‘ત્ય (ત્ +ત્+ અ) હ્રસ્વ છે, પણ ત્ય’ જોડાક્ષરનો થડકારો આગળના “સ્તુના હૃસ્વત્વને દીર્ઘ કરશે. ઉચ્ચાર કરી જુઓ, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં ‘સ્તુત્ય’ આ રીતે.
દર્શાવાશેઃ
આમ, શબ્દમાં હ્રસ્વ સ્વરવાળા લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે, તો એની પહેલાનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ બને છે.
એ જ રીતે નીચેના શબ્દોના લઘુ-ગુરુનો અભ્યાસ કરો:
સંયુક્ત વ્યંજનો, ઉચ્ચારના થડકારને કારણે આગળના લઘુ અક્ષરને ગુરુ બનાવે છે.
(2) અનુસ્વારવાળો શબ્દ ‘અંકુર’ જુઓ.
• “અંકુર’ શબ્દનો ઉચ્ચાર કરતાં (અ + + ફ + ઉ + ૨ + 1), જે વર્ષો જણાય છે, એમાં ‘” અનુનાસિક વ્યંજન છે. આગળના વર્ણ “અ” ઉપર એ અનુનાસિક “હું અનુસ્વાર (‘) રૂપે મુકાય છે, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં “અંકુર’ શબ્દ આમ દર્શાવાશે.
આમ, લઘુ અક્ષરો (અહીં, “અ”, “ચ”, “દા’, “સુ’ અને ‘ક’) પછી આવતા અને અનુનાસિકો, , , , મુ)ની જેમ ઉચ્ચારાતા અનુસ્વારો દીર્ઘ દર્શાવાય છે.
(૩) વિસર્ગવાળો શબ્દ “અંતઃકરણ” જુઓ.
“અંતઃકરણ’ શબ્દનો ઉચ્ચાર કરતાં (અ + ન + ત્ + = + ક્ + અ + ૨ + અ + + અ) , જે વણ જણાય છે, એમાં (:) વિસર્ગ છે; તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં આ શબ્દ આ રીતે દર્શાવાશેઃ
આમ, વિસર્ગ (:), પૂર્વેના લઘુ અક્ષરને થડકારાના કારણે ગુરુ બનાવે છે.
(4) “સ શબ્દ જુઓ. ‘સત્’ શબ્દનો ઉચ્ચાર કરો. “સત્ ઉપર લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં આ શબ્દ આમ દર્શાવાશેઃ સત્.
‘સમાંના ‘ત’ જેવા એકલ વ્યંજનના થડકારાને કારણે આગળનો લઘુ અક્ષર ગુરુ દર્શાવાય છે.
ચરણ, તાલઃ છંદોબદ્ધ પંક્તિના બે, ચાર કે વધારે ભાગ પડે છે ત્યારે તેને “ચરણ” કે “પાદ’ કહે છે. સંસ્કૃતમાં “ચરણ’ કે ‘પાદનો અર્થ “ચોથો ભાગ’ એવો થાય છે.
માત્રામેળ છંદમાં અમુક માત્રા પછી ભાર આવે છે, તેને “તાલ” કહે છે.
દા. ત.,
અહીં ચાર ચરણ છે, દરેકની પંદર માત્રા છે. પહેલી માત્રાએ : ને પછી ચાર-ચાર માત્રાએ તાલ (↑) આવે છે.
યતિઃ અક્ષરમેળ છંદમાં ચરણની વચ્ચે જ્યાં વિરામ લેવાનો થાય : છે, તેને યતિ’ કહે છે. યતિને કારણે છંદના લયનું માધુર્ય વધે છે.
દા. ત., રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. આ છંદ(મંદાક્રાન્તા)માં 4, 6 અને 7મા અક્ષરે યતિ છે. માત્રામેળ છંદમાં યતિ અનિવાર્ય નથી.
ગણ :
છંદના અક્ષરસમૂહને, લઘુ-ગુરુને યાદ રાખવા, ત્રણ: ત્રણ અક્ષરમાં લઘુ-ગુરુને ગોઠવવામાં આવે છે, ત્રણ અક્ષરના આ સમૂહને “ગણ” કહે છે. એમ કરવા જતાં આઠ ગણ રચાય છે. યમાતારાજભાન લગા’ સૂત્રથી એ ઓળખવામાં આવે છે.
ગણયોજના યાદ રાખો:
“આદિ, મધ્ય ને અંતમાં ય – ૨ – ત ગણો લઘુ થાય, ભ- જ – સ ગણો ગુરુતા ધરે, મ– ન ગુરુ – લઘુ જ બધાય.”
લઘુ-ગુરુની સંયોજનની વિશિષ્ટ ભાતને બીજી રીતે પણ યાદ : રાખી શકાય:
માત્રામેળ છંદોઃ